નાગેશ્વરમાં કેમિકલના વેપારીએ ગળેફાંસો ખાઇ જીવાદોરી ટૂંકાવી લીધી, કારણ અકબંધ - At This Time

નાગેશ્વરમાં કેમિકલના વેપારીએ ગળેફાંસો ખાઇ જીવાદોરી ટૂંકાવી લીધી, કારણ અકબંધ


રાજકોટમાં જામનગર રોડ, નાગેશ્વરમાં આવેલા એપલ ગ્રીન એપાર્ટમેન્ટમાં રહેતા અંકિત પ્રકાશભાઇ દાવડા નામના યુવાને સહકારનગર મેઇન રોડ પર આવેલી તેની એ.ડી.એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાં દોરી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવની પરિવારજનો ખબર પડતા તુરંત ત્યાં દોડી ગયા હતા અને ભક્તિનગર પોલીસને જાણ કરી હતી. પરિવારજનોની પૂછપરછમાં અંકિત માતા-પિતાનો એકનો એક દીકરો હતો. તેના ચાર વર્ષ પહેલા લગ્ન થયા હતા. સંતાનમાં ચાર મહિનાની દીકરી છે. અંકિત બાંધકામની સાઇટ પર વપરાતા કેમિકલનો વેપાર કરતો હતો. ગઇકાલે મોડે સુધી પરત ઘરે નહિ આવતા ફોન કર્યો હતો, પરંતુ ફોન રિસીવ નહિ થતા ઓફિસ જઇ તપાસ કરતા અંકિતે આપઘાત કરી લીધાની ખબર પડી હોવાનું જણાવ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon