રાજકોટ ચુંટણી તંત્ર દ્વારા નવરાત્રિ દરમ્યાન યુવાનો મતદાન કરે એ સંબંધે જાગૃતિ અભિયાન. - At This Time

રાજકોટ ચુંટણી તંત્ર દ્વારા નવરાત્રિ દરમ્યાન યુવાનો મતદાન કરે એ સંબંધે જાગૃતિ અભિયાન.


રાજકોટ શહેર તા.૩૦/૯/૨૦૨૨ ના રોજ આગામી વિઘાનસભાની સામાન્ય ચૂંટણીને ધ્યાનમાં રાખી લોકો વધુને વધુ મતદાન કરવા બાબતે પ્રેરીત થાય તે માટે જીલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રીના માર્ગદર્શન હેઠળ વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. સિસ્ટેમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઇલેક્ટ્રોલ પાર્ટીશિપેશન (સ્વિપ) પ્રોગ્રામ અંતર્ગત યુવાનો મતદાન કરે એ સંબંધે રાજકોટ ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ ગરબી મંડળમાં મતદાન જાગૃતિ અભિયાન યોજાયો હતો. રાજકોટ જીલ્લામાં વિવિધ સ્થળોએ નવરાત્રિના તહેવાર દરમ્યાન જાહેર સ્થળોએ મતદાન જાગૃતિ અંગેના કાર્યક્રમો યોજાયા. રાજકોટ ખાતે ઘોળકીયા સ્કુલ તેમજ લાલબહાદુર શાસ્ત્રી સ્કુલ ખાતે મતદાન જાગૃતિ બાબતે ગરબા પણ રમવામાં આવ્યા હતા તેમજ EVM-VV પેટનું નિદર્શન ટીમો દ્વારા કરવામાં આવ્યું હતું. જાહેર જનતાને મતદાન કરવું તેની સમજૂતી આપવામાં આવી હતી. યુવાનોને મતદાન કરવાની પધ્ધતિ અને મતદાનનું મહત્વ ધોરાજી તથા ઉપલેટા ખાતે મામલતદાર કચેરી દ્વારા મતદાન અંગે જાગૃતી અંગેનો કાર્યક્રમ યોજાયા હતો. ધોરાજીના મહાકાળી ગરબી મંડળ અને વિંછીયા દરબારગઢ ચોક ખાતેની ગરબીમાં સ્ટેશન રોડ ખાતે મામલતદાર કચેરીના સ્ટાફ હાજર રહી મતદાન જાગૃતિ અંગે માર્ગદર્શન આપેલ હતા તથા EVM-VV પેટ મશીનના નિદર્શન માટેનો સ્ટોલ રાખવામાં આવેલ હતો. જેમાં બહોળી સંખ્યામાં લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon