રામનાથપરામાં માનસીક બિમારીથી કંટાળી ફીનાઈલ પી લીધુ - At This Time

રામનાથપરામાં માનસીક બિમારીથી કંટાળી ફીનાઈલ પી લીધુ


પોપટપરાના કૃષ્ણનગર-2માં રહેતા મુરલીધરભાઈ, રામભાઈ પાટીલ (ઉ.વ.35) ગઈકાલે સાંજે રામનાથપરામાં જઈ ફીનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવારમાં સીવીલ હોસ્પીટલે ખસેડાયા હતા. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે નોંધ કરી એ ડીવીઝન પોલીસને જાણ કરી હતી. વધુમાં મળેલ વિગત અનુસાર, મુરલીધરભાઈ કાપડની દુકાનમાં કામ કરતાં અને ત્રણ ભાઈમાં વચ્ચેટ છે. જેમના લગ્ન બાદ પાંચ વર્ષ પહેલા તેની પત્ની સાથે છુટાછેડા લઈ લીધા હતાં. ત્યારબાદ તેઓને માનસીક અસર થઈ જતાં સારવાર ચાલુ હતી અને તેઓ ઓસોના પ્રવચન વધુ સાંભળતા હતાં. ગતરોજ તેને માનસીક બિમારીથી કંટાળી પગલુ ભર્યું હોવાનું પ્રાથમીક તારણ બહાર આવ્યું હતું.
9879405838


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon