આચારસંહિતામાં પકડાયેલી રોકડનો ખુલાસો રજૂ કરવા નોટિસ ફટકારતું આવકવેરા વિભાગ - At This Time

આચારસંહિતામાં પકડાયેલી રોકડનો ખુલાસો રજૂ કરવા નોટિસ ફટકારતું આવકવેરા વિભાગ


કુલ અડધા કરોડની રોકડ રકમ ઝડપાઈ હતી, જંક્શનમાંથી પકડાયેલ સોનાનો કબજો હવે આઇટી વિભાગ લેશે

આચારસંહિતા દરમિયાન રાજકોટ, ધ્રોલ, પોરબંદર સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાંથી મળીને કુલ 50 લાખ જેટલી રોકડ રકમ પકડાઈ છે. આ અંગેની જાણ-તપાસ આવકવેરા વિભાગને આપવામાં આવી હતી. હાલ આ રોકડ રકમ કોની છે તે અંગે તપાસ ચાલુ છે અને જેની રોકડ છે તેને ખુલાસો રજૂ કરવા માટે આવકવેરા વિભાગે નોટિસ પાઠવી છે. જો આ રોકડ રકમ અંગેના પુરાવા રજૂ નહિ કરાય તો તેના પર પેનલ્ટી- ટેક્સ વસૂલ કરીને પરત કરવામાં આવશે. આ સિવાય રેલવે જંક્શન પરથી જે રૂ.1.30 કરોડનું સોનું પકડાયું હતું તેનો કબજો આવકવેરા વિભાગ લેશે. તેમ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon