બનાસકાંઠા થરાદ ખાતે આગામી તા 31 મીએ પી એમ મોદીનો કાર્યક્રમ થયો નક્કી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/1tukkvkia952didh/" left="-10"]

બનાસકાંઠા થરાદ ખાતે આગામી તા 31 મીએ પી એમ મોદીનો કાર્યક્રમ થયો નક્કી


બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે આગામી તા 31 મીએ પી એમ મોદીનો કાર્યક્રમ થયો નક્કી
બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે આગામી તા 31 મીએ પી એમ મોદીનો કાર્યક્રમ નક્કી થતાં તંત્ર દોડતું થયું

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી થરાદમાં વિવિધ વિકાસ કાર્યો નુ લોકાર્પણ અને ખાત મુહુર્ત કરશે
થરાદના મલુપુર હેલિપેડ ઉપર પ્રધાનમંત્રીની સભા સ્થળ નક્કી કરવામાં આવસે વડાપ્રધાન બન્યા બાદ પહેલી વખત નરેન્દ્રભાઈ મોદીનો બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે નો પ્રવાસ નક્કી થતાં જોકે ભાજપ પોતાની ગઢ જેવી બેઠક કબજે કરવાની રણનીતિ અનુસાર વડાપ્રધાનનુ આગમન જોવાઈ રહ્યું છે ત્યારે થરાદ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિકાસ કાર્યો નુ લોકાર્પણ કરશે ત્યારે વડાપ્રધાનના આગમનને લઈ ને ગુરુવારે કલેકટર જીલ્લા વિકાસ અધિકારી પોલિસ અધિક્ષક અને સાંસદ પરબતભાઇ પટેલ સહિત વહીવટી તંત્ર દ્વારા સભા સ્થળ નુ નિરક્ષણ કર્યું હતું ત્યારે થરાદ પ્રાંત અધિકારી તથા થરાદ ડીવાયએસપી ભાજપના નેતાઓએ હેલિપેડ અને કૃષિ યુનિવર્સિટીની સભા સ્થળની જગ્યા ની મુલાકાત લિધી હતી જ્યારે વાત કરીએ તો થરાદ મલુપુર હેલિપેડ ઉપર અગાઉ કાંગ્રેસ ના વડાપ્રધાન ઇન્દીરા ગાંધીએ 1971 માં અને ત્યારબાદ તત્કાલીન વડાપ્રધાન સ્વ રાજીવ ગાંધીએ મુલાકાત લિધી હતી જ્યારે આગામી દિવસોમાં દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા બાદ પહેલી વખત મુલાકાત લઈ રહ્યા છે
રીપોર્ટ
એટ ધીસ ટાઈમ ન્યૂઝ વાવ
રણછોડસિંહ એસ ચૌહાણ વાવ
સમાચાર તથા જાહેરાત આપવા સંપર્ક કરો મો 9974398583


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]