જેઠોલી ગામ શિવાલય મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ - At This Time

જેઠોલી ગામ શિવાલય મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ


બાલાસિનોર તાલુકાના જેઠોલી ગામે ભોલેનાથ મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ધામધૂમથી તૈયારીઓ..

જેઠોલી ખાતે શિવ શંકર ભોલેનાથના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભોળાનાથના મંદિરનું નવનિર્માણ પૂર્ણતાના આરે હોય ત્યારે શિવજીની પ્રતિમાની સ્થાપના થવા જઈ રહી હોય ત્યારે શિવજીને રિઝવવા સમસ્ત ગ્રામજનો તેમજ ભાવિભક્તો દ્વારા ધામધૂમથી ઢોલ નગારા ના તાલ સાથે જેઠોલી ગામેં શોભાયાત્રા કાઢવામોં આવી,શોભાયાત્રાના ભાગરૂપે શંકર ભગવાનના મંદિરના પટાગણ આસોપાલવના તોરણથી સુશોભિત કરવામો આવ્યું, તેમજ
જેઠોલી પ્રાથમિક શાળાના વિધાર્થીઓ રાસ ગરબાની પૂરજોશમો ચાલતી પૂર્વ તૈયારીઓ સાથે જોડાયા,ભક્તિમય લીન બનેલા ભક્તજનો તેમજ મહિલાઓએ શોભાયાત્રાનું સામૈયુ કરી વાજતે ગાજતે વધામણાં કર્યા, અને ઢોલ નગારાના તાલે ભક્તિમો તરબોળ થઈ શિવ તાંડવની યાદ તાજી કરવા ગામઠી નૃત્ય કરી શિવને મનાવવાના યથાર્થ નૃત્ય રજુ કર્યા
ભૌમિક પટેલ મહીસાગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon