DPS એ છાત્રોને મસ્જિદની વિઝિટ કરાવવા સંમતિ માગતાં હોબાળો. - At This Time

DPS એ છાત્રોને મસ્જિદની વિઝિટ કરાવવા સંમતિ માગતાં હોબાળો.


દિલ્હી પલ્બીક સ્કૂલ કલાલી દ્વારા વિદ્યાર્થીને મસ્જીદની મુલાકાતે લઇ જવા માટે વાલીઓની સંમતિ માંગતો પત્ર મોકલતા ભારે હોબાળો મચી ગયો છે . વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનોને આ અંગે વાલીઓએ જાણ કરતાં કાર્યકરો સ્કૂલ ખાતે ધસી ગયા હતા . મેનજમેન્ટે વીએચપીના કાર્યકરોને મળવાની ના પાડી દેતા સ્કૂલ બહાર રામધૂન શરૂ કરી દીધી હતી . કલાલી ખાતે આવેલી દિલ્હી પબ્લીક સ્કૂલ દ્વારા વાલીઓને બાળકોને 5 ઓગષ્ટે શુક્રવારના દિવસે મસ્જીદ ખાતે મુલાકાત કરાવવાનું આયોજન કર્યું હતું . જે માટે વાલીઓની સંમતિ લેવા માટે પત્રક પણ મોકલવામાં આવ્યું હતું . જેના કારણે વાલીઓ પણ ચોંકી ઉઠયા હતા . વાલીઓ દ્વારા વિશ્વ હિન્દુ પરિષદનો સંપર્ક કરવામાં આવ્યો હતો . વીએચપીના કાર્યકરો સ્કૂલ ખાતે ધસી ગયા હતા .માંજલપુર વીએચપીના અધ્યક્ષ ધર્મેશ શર્માએ જણાવ્યું હતું કે , વીએચપીના કાર્યકરો સ્કૂલ પર પ્રિન્સીપાલને મળવા માટે ગયા હતા . જોકે તેમણે મળવા માટેની ના પાડી દીધી હતી . ત્યારબાદ વીએચપીના કાર્યકરો દ્વારા સ્કૂલની બહાર રામધૂન કરીને વિરોધ શરૂ કરવામાં આવ્યો હતો . સતત અડધો કલાક સુધી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સ્કૂલની બહાર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો . જેના પગલે સ્કૂલના પ્રીન્સીપાલ એ.કે.સિન્હાએ એમને મળવા માટે બોલાવ્યા હતા . વીએચપીના કાર્યકરે જણાવ્યુ હતું કે , પ્રીન્સીપાલને આ અંગે પૂછતા તેમણે સંતોષકારક જવાબો આપ્યા ના હતા . અમે તેમને કહ્યું હતું કે , આ કેજીના બાળકો નાદાન હોય છે . તેમને કોઇ પણ ધાર્મિક સ્થળની જગ્યાએ ગાર્ડન , મ્યુઝિયમ , બરોડા ડેરી , પોલીસ સ્ટેશન જેવી જગ્યાએ વીઝીટ કરવા લઇ જાવ . કોઇ પણ સંજોગોમાં આ પ્રકારનું કૃત્ય ચલાવી લેવામાં આવશે ' નહિ . સ્કૂલના પ્રીન્સીપાલે મેનજમેન્ટ સાથે વાત કરીને આ પ્રોગામ કેન્સલ કરાવી દેવામાં આવશે તેવી બાંહેધરી આપી હતી . વીએચપીના કાર્યકરે જણાવ્યું હતું કે , બુધવારે ફરી એકવાર સ્કૂલ ખાતે પ્રિન્સીપાલ સાથે આ મુદ્દે વાતચીત કરવામાં આવશે . સ્કૂલ મેનેજમેન્ટ દ્વાર શું નિર્ણય લેવામાં આવ્યો છે તેની જાણકારી મેળવવામાં આવશે . આ ઘટના અંગે દિલ્હી પબ્લીક સ્કૂલ કલાલીના પ્રિન્સીપાલનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પણ તેમનો સંપર્ક થઇ શકયો ના હતો .
ઉમેશ ભાટીયા.વડોદરા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon