થાનગઢ વહીવટીતંત્ર દ્વારા વીજળી પડવાથી થયેલાં પશુ મૃત્યુ અન્વયે પશુપાલકોને ત્વરિત સહાય ચુકવાઈ - At This Time

થાનગઢ વહીવટીતંત્ર દ્વારા વીજળી પડવાથી થયેલાં પશુ મૃત્યુ અન્વયે પશુપાલકોને ત્વરિત સહાય ચુકવાઈ


સુરેન્દ્રનગર જિલ્લામાં વાતાવરણ પલટો થતાં ગઈકાલે રાત્રે વીજળીના કડાકા સાથે વરસાદ ખાબક્યો હતો જેમાં થાનગઢ તાલુકાના મનડાસર અને રૂપાવટી ગામે વીજળી પડી હતી સદનસીબે કોઈ માનવ મૃત્યુ થયું ન હતું પરંતુ વીજળી પડવાથી ૨ ભેંસ અને એક પાડીનું મૃત્યુ થયું હતું થાનગઢ તાલુકા વિકાસ અધિકારી જ્યોતિબેન બોરીચા દ્વારા સત્વરે તપાસ હાથ ધરી ભોગ બનેલા પશુ માલિકોને તાત્કાલિક સહાય ચૂકવી હતી જેમાં ૦૨ ભેંશના રૂ. ૩૭,૫૦૦ લેખે કુલ રૂ. ૭૫,૦૦૦ તેમજ એક પાડીનાં રૂ. ૨૦,૦૦૦ ચેકથી ચૂકવાયા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.