મહુવા તાલુકા જય વેલનાથ સમૂહ લગ્ન સમિતિ દ્વારા કાળેલા ગામે સમસ્ત ચુંવાળિયા ઠાકોર સમાજનો ચોથો સમુહ લગ્ન સમારોહ યોજાયો. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/19sza9isskqelqu6/" left="-10"]

મહુવા તાલુકા જય વેલનાથ સમૂહ લગ્ન સમિતિ દ્વારા કાળેલા ગામે સમસ્ત ચુંવાળિયા ઠાકોર સમાજનો ચોથો સમુહ લગ્ન સમારોહ યોજાયો.


ખોટા કુરિવાજો છોડી સમાજ શિક્ષણ અને આર્થિક ક્ષેત્રે પ્રગતિ કરે તે હેતુથી મહુવા તાલુકા જય વેલનાથ સમુહ લગ્ન સમિતિ દ્વારા ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કાળેલા ગામે વેલનાથ બાપા ની જગ્યામાં સમસ્ત ચુવાળીયા ઠાકોર સમાજનો ચોથો સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતુ આ સમૂહ લગ્ન સમારોહમાં 34 નવયુગલો એ પ્રભુતામાં પગલાં પાડી દાંપત્ય જીવનની શરૂઆત કરી આ સમૂહ લગ્ન સમારોહમાં ઠાકોર સમાજના ધર્મગુરુ જગાન્નાથ બાપુ, સિદ્ધ ગણેશ આશ્રમ મોટા ખુટવડા મહંત ભારદ્વાજ ગીરીબાપુ, સમઢીયાળા યોગી ધામ થી પૂજ્ય નિર્મળ સ્વામી, સમસ્ત કોળી સમાજ આગેવાન ગારીયાધાર મુરલીભાઈ મકવાણા, વલ્લભભાઈ ઝીંઝવાડીયા સહિત રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

રીપોર્ટર.રમેશ.જીંજુવાડીયા-મહુવા
Mo.9484450947


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]