ગરબાડા મામલતદાર અનિલ જાદવની અંજાર ખાતે બદલી થતાં વિદાય સમારોહ યોજવામાં આવ્યો. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/17wlwwj9ybzgsvxy/" left="-10"]

ગરબાડા મામલતદાર અનિલ જાદવની અંજાર ખાતે બદલી થતાં વિદાય સમારોહ યોજવામાં આવ્યો.


ગરબાડા તાલુકા મામલતદાર અનિલ જાદવ ની અંજાર ખાતે બદલી થતાં વિદાય સમારંભ યોજાયો.

ગરબાડા મામલતદાર કચેરી ખાતે છેલ્લા નવ મહિનાથી ફરજ બજાવતા હતા માત્ર નવ જ મહિનાની ફરજ દરમિયાન મામલતદાર અનિલ જાદવ સૌના લોક પ્રિય બન્યા હતા. મામલતદાર અનિલ જાદવ ની કોણગરબાડા થી અંજાર ખાતે બદલી થતાં પાટાડુંગરી ગામે વિદાય સમારોહ યોજાવામાં આવ્યો હતો.
વિદાય સમારોહ માં અભલોડ ગામના સરપંચ વરસિંગભાઈ ભાભોર દ્વારા મામલતદાર અનિલ જાદવ નું આદિવાસી સમાજની સંસ્કૃતિ ની ઓળખ પાઘડી અમે ઝુલડી પહેરાવી અને ગરબાડા ભાજપા પાર્ટી પ્રમુખ પ્રજીતસિંહ રાઠોડ દ્વારા તીર કામઠું આપી અભિવાદન કરવામાં આવ્યું હતું.

પાટાડુંગરી ખાતે યોજાયેલ વિદાય સમારોહ માં તાલુકા વિકાસ અધિકારી હિરલ પટેલ,તાલુકા પંચાયત પ્રમુખ,ગામના સરપંચો ,આગેવાનો તેમજ મામલતદાર કચેરીનો સ્ટાફ હાજર રહ્યા હતાં.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]