સૌની નજર USથી પરત આવનારા ભારતીયોના હાથ પર:'શું આ વખતે પણ હાથકડી પહેરાવીને મોકલશે? આજે મોદી ડિપ્લોમેસીની કસોટી થશે'- ચિદમ્બરમનો ટોણો - At This Time

સૌની નજર USથી પરત આવનારા ભારતીયોના હાથ પર:’શું આ વખતે પણ હાથકડી પહેરાવીને મોકલશે? આજે મોદી ડિપ્લોમેસીની કસોટી થશે’- ચિદમ્બરમનો ટોણો


અમેરિકાથી ગેરકાયદે ઇમિગ્રન્ટ ભારતીયોની બીજી બેચ આજે (15 ફેબ્રુઆરી) શનિવારે રાત્રે 10 વાગ્યે પંજાબના અમૃતસર એરપોર્ટ પર આવી રહી છે. આમાં 119 ભારતીયને બળજબરીથી પાછા મોકલવામાં આવશે. એમાં પંજાબના 67, હરિયાણાના 33 અને 8-10 ગુજરાતીનો પણ સમાવેશ છે. આ દરમિયાન પંજાબના સીએમ ભગવંત માન પણ એરપોર્ટ પર જઈને ડિપોર્ટ કરવામાં આવેલા પંજાબીઓને મળશે. આ પછી 16 ફેબ્રુઆરી, રવિવારે રાત્રે 10 વાગ્યે, 157 ભારતીયને લઈને વિમાન અમૃતસર પહોંચશે. મોદી ગઈકાલે જ ટ્રમ્પને મળીને ભારત પરત આવ્યા છે, એવામાં શું આજે જે પ્લેન ભારતીય ઇમિગ્રન્ટ્સને લઈને આવશે એમાં લોકોને હાથ-પગ બાંધીને મોકલશે કે કેમ? જેની પર સૌકોઈની નજર રહેશે. જો આ વખતે પણ આવું થયું તો ઈન્ડિયન ડિપ્લોમેસી પર સવાલો ઊભા થશે એ ચોક્કસ છે. જેને લઈને પી ચિદમ્બરમે એક ટ્વીટ કર્યું છે, જેમાં તેમણે કહ્યું- ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને પરત લાવવા માટે આજે અમૃતસરમાં ઉતરાણ કરનાર US વિમાન પર બધાની નજર રહેશે. શું દેશનિકાલ કરાયેલા લોકોને હાથકડી લગાવવામાં અને તેમના પગ દોરડાથી બાંધવામાં આવશે? આ ઈન્ડિયન ડિપ્લોમેસી માટે એક કસોટી છે. આ પહેલાં 5 ફેબ્રુઆરીએ યુએસ એરફોર્સના પ્લેન ગ્લોબમાસ્ટરમાં 104 ભારતીયને અમૃતસર લઈ જવામાં આવ્યા હતા. આ લોકોના હાથમાં હાથકડી અને પગમાં બેડીઓ બાંધીને લાવવામાં આવ્યા હતા. વ્હાઇટ હાઉસ અમેરિકા દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ... પંજાબના સીએમએ કહ્યું- અમૃતસર લેન્ડિંગ પંજાબીઓને બદનામ કરવાનું ષડ્યંત્ર શુક્રવારે સાંજે અમૃતસર પહોંચેલા પંજાબના મુખ્યમંત્રી ભગવંત સિંહ માનએ કહ્યું, 'પંજાબમાં ગેરકાયદે ઈમિગ્રન્ટ્સના પ્લેન લેન્ડ કરાવવું ખોટું છે. આ પંજાબને બદનામ કરવાનું ષડ્યંત્ર છે. ગેરકાયદે રીતે અમેરિકા ગયેલા લોકોને ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે. અગાઉ પણ જે લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા એમાં વિવિધ રાજ્યોના લોકોનો પણ સમાવેશ થતો હતો. તો પછી શા માટે અમૃતસરમાં વિમાનો લેન્ડિંગ કરાવવામાં આવી રહ્યાં છે? નાણામંત્રીએ કહ્યું- પંજાબને બદનામ કરવામાં આવી રહ્યું છે પંજાબના નાણામંત્રી હરપાલ ચીમાએ પંજાબમાં ગેરકાયદે ભારતીય ઈમિગ્રન્ટ્સને લઈને આવેલા અમેરિકન પ્લેનના લેન્ડિંગ પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું, 'આ કરવાથી કેન્દ્ર સરકાર પંજાબને બદનામ કરવા માગે છે. તે ગુજરાત, હરિયાણા કે દિલ્હીમાં પ્લેન કેમ લેન્ડિંગ નથી કરાવતા? ભારતીયોને પ્રથમ વખત સેનાના વિમાનમાં ડિપોર્ટ કરવામાં આવ્યા ભારતીય ઇમિગ્રન્ટ્સને ડિપોર્ટ કરવા માટેનું છેલ્લું યુએસ સૈન્ય વિમાન 4 ફેબ્રુઆરીના રોજ સવારે 3 વાગ્યે સેન એન્ટોનિયો, યુએસએથી ઊપડ્યું હતું. આ પ્રથમ વખત હતું કે અમેરિકા ભારતીય ઇમિગ્રન્ટ્સને ડિપોર્ટ કરવા માટે લશ્કરી વિમાનનો ઉપયોગ કર્યો. અગાઉ અલગ-અલગ અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે અમેરિકાએ ડિપોર્ટ કરવા માટે કુલ 205 ગેરકાયદે ભારતીયોની ઓળખ કરી છે.
અમેરિકામાં લગભગ 7 લાખ ગેરકાયદે ભારતીય ઇમિગ્રન્ટ્સ છે પ્યૂ રિસર્ચ સેન્ટર અનુસાર, વર્ષ 2023 સુધીમાં અમેરિકામાં 7 લાખથી વધુ ગેરકાયદે ઇમિગ્રન્ટ ભારતીયો હશે. મેક્સિકો અને અલ સાલ્વાડોર પછી આ સૌથી વધુ છે. અમેરિકામાં ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ સાથે કામ કરતી સરકારી એજન્સી (ICE) અનુસાર, છેલ્લાં 3 વર્ષમાં સરેરાશ ગેરકાયદે રીતે ઘૂસવાનો પ્રયાસ કરતા 90 હજાર ભારતીય નાગરિકો ઝડપાઈ ગયા છે. આ ઈમિગ્રન્ટ્સનો મોટો હિસ્સો પંજાબ, ગુજરાત અને આંધ્રપ્રદેશમાંથી આવી રહ્યો છે. ટ્રમ્પ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને કેમ હાંકી રહ્યા છે? 20 જાન્યુઆરીએ ટ્રમ્પે પદના શપથ લીધા કે તરત જ તેમણે ગેરકાયદે ઇમિગ્રન્ટ્સના પ્રવેશ પર પ્રતિબંધની જાહેરાત કરતાં એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા. ચૂંટણીપ્રચારમાં ટ્રમ્પ તેમજ દેશમાંથી ગેરકાયદે વસાહતીઓને હાંકી કાઢવાનું વચન આપ્યું હતું. તેમણે અમેરિકાના ઈતિહાસમાં સૌથી મોટા ડિપોર્ટની માગણી કરી હતી. ટ્રમ્પ માને છે કે અન્ય દેશોના લોકો ગેરકાયદે રીતે અમેરિકામાં ઘૂસીને ગુના કરે છે. અહીં નોકરીઓનો મોટો હિસ્સો ઇમિગ્રન્ટ્સનો છે, જેના કારણે અમેરિકન લોકોને નોકરી મળતી નથી. ટ્રમ્પે 'લૈકેન રિલે એક્ટ' પર હસ્તાક્ષર કર્યા, જે તેમના બીજા કાર્યકાળનો પ્રથમ કાયદો છે. આ કાયદા હેઠળ, ફેડરલ અધિકારીઓને ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને અટકાયતમાં લેવાની છૂટ છે. કોઈપણ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા લોકોને ડિપોર્ટ કરવાનો અધિકાર છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image