રાજકોટના ખાદી ભવનમાં દૈનિક રૂ.42 હજારના તિરંગાનું વેચાણ, 15 ઓગસ્ટ સુધીમાં 8 લાખ સુધીના વેચાણની શક્યતા - At This Time

રાજકોટના ખાદી ભવનમાં દૈનિક રૂ.42 હજારના તિરંગાનું વેચાણ, 15 ઓગસ્ટ સુધીમાં 8 લાખ સુધીના વેચાણની શક્યતા


દેશમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે આ વર્ષે કેન્દ્ર સરકારે 'હર ઘર તિરંગા' અભિયાનનું આયોજન કર્યું છે ત્યારે આ વર્ષે રાજકોટ ખાદી ગ્રામ ઉદ્યોગમાં રાષ્ટ્રધ્વજની ખરીદી માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજકોટના ત્રિકોણ બાગ નજીક આવેલ ખાદી ગ્રામ ઉદ્યોગ ખાતે દૈનિક રૂ.42 હજારના તિરંગાનું વેચાણ થયું છે અને હજુ આગામી 15 ઓગસ્ટ સુધીમાં આ આંકડો 8 લાખ સુધી પહોંચી જશે તેવી આશા સેવામાં આવી રહી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon