સાયલાના ધજાળા ખાતે ક્ષત્રિય સમાજનો સ્નેહમિલન સમારોહ યોજાયો. - At This Time

સાયલાના ધજાળા ખાતે ક્ષત્રિય સમાજનો સ્નેહમિલન સમારોહ યોજાયો.


સાયલાના લોમેવધામ-ધજાળા ખાતે ક્ષત્રિય સમાજના સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું .નૂતન વર્ષાભિનંદનના શુભ અવસરે સવારે ૧૦.૦૦ કલાકે લોમેવધામ ધજાળા મંદિર પરિસરમાં સ્નેહમિલન સમારોહ યોજાયો. જેમાં મહંત શ્રી ભરતબાપુ ભગત ઉપસ્થિત રહ્યા હતા . ત્યારબાદ હાજર રહેલા ક્ષત્રિય સમાજના આગેવાનોએ નૂતન વર્ષાભિનંદનના શુભ અવસરે શુભેચ્છા પાઠવી હતી. બીજી બાજુ જો વાત કરવામાં આવે તો સ્નેહ મિલન સમારોહમાં ક્ષત્રિય સમાજના યુવા વર્ગે જહેમત ઉઠાવી હતી.આગામી સમય માં સમાજમાં કુરિવાજો ત્યાગવા યુવા પેઢી કાર્ય કરશે.ત્યાર બાદ સૌ સાથે ભોજન -પ્રસાદ લઈ સ્નેહમિલન કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં લોમેવ ધામ નાં મહંત તેમજ ઝાલાવાડ ની વાત ના તંત્રી
કિરીટભાઈ ખવડ તેમજ અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ.. જેસીંગભાઇ સારોલા
બિઝનેસ પાર્ટનર ..રણજીતભાઈ ખાચર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon