ગોધરા ખાતે જિલ્લા કલેકટરશ્રી આશિષકુમારના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો - At This Time

ગોધરા ખાતે જિલ્લા કલેકટરશ્રી આશિષકુમારના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો


જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં ૧૦ પ્રશ્નોનું સકારાત્મક નિરાકરણ કરાયું

પંચમહાલ,
શુક્રવાર :-રાજ્યના નાગરિકોના પ્રશ્નોનું ઝડપી અને અસરકારક નિરાકરણ લાવવાના ઉદ્દેશ્યથી આરંભાયેલ સ્વાગત- ફરિયાદ નિવારણના પ્રજાલક્ષી કાર્યક્રમ અંતર્ગત હજારો અરજદારોના પ્રશ્નોનું સુખદ નિરાકરણ આવ્યું છે. પ્રતિમાસ સ્વાગત કાર્યક્રમ અંતર્ગત રાજ્યમાં તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ સ્વાગત કાર્યક્રમ યોજાય છે.
જે અન્વયે પંચમહાલ જિલ્લાના અરજદારોના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ થાય તે માટે જિલ્લા કલેકટર આશિષકુમારના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી,ગોધરા ખાતે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો.
જિલ્લા કલેકટરએ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ અરજદારોની વિવિધ વિભાગોને સંલગ્ન રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળી સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચના - માર્ગદર્શન આપ્યુ હતું. આ કાર્યક્રમમાં ૧૩ અરજદારો દ્વારા મુકાયેલ પ્રશ્નોમાંથી ૧૦ પ્રશ્નોનું સકારાત્મક નિરાકરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં નિવાસી અધિક કલેકટર ડી.એમ.દેસાઈ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ તથા અરજદારો ઉપસ્થિત રહ્યાં હતા.

રિપોર્ટ, વિનોદ પગી પંચમહાલ


8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image